attack : મુસ્લિમ લોકોએ આપી શહીદોને શ્રદ્ધાંજલિ

પહલગામમાં આતંકવાદીઓ દ્વારા અંધાધુન ફાયરીંગ કરી હતી. જેમાં 28 જેટલા માસુમ ભારતીયો શહીદ થયા હતા. ત્યારે સુરતના વિસ્તારમાં આવેલા ફૂલવાડી વિસ્તારના લોકો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી પાકિસ્તાન મુર્દાબાદ આતંકવાદ મુર્દાબાદ જેવા નારાઓ સાથે કેન્ડલ માર્ચ કાઢી હતી. પહલગામમાં આતંકવાદીઓ દ્વારા ભારતીયોને  તેમનો ધર્મ પૂછી તેમના ઉપર અંધાધુન ફાયરીંગ કરવામાં આવી હતી. જેમાં 28 જેટલા ભારતીયો શહીદ થયા હતા. જેથી ભારતના દરેક નાગરિકમાં આક્રોશ ભરાયો છે. અને પાકિસ્તાનની  આ નાપાક હરકતના કારણે પાકિસ્તાનને તેની ઓકાત બતાવવા માટે ભારતીય રક્ષા મંત્રી અને પ્રધાનમંત્રી શ્રીને અપીલ કરવામાં આવી રહી છે.



ત્યારે સુરતના ચોક બજાર પોલીસની હદમાં આવેલા ફૂલવાડી અને આસપાસના વિસ્તારોના લોકો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ કાઢી હતી. સાથોસાથ પાકિસ્તાન અને આતંકવાદ મુર્દાબાદ જેવા નારાઓ લગાવ્યા હતા . અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો દેશ માટે જીવ ટુકવું પડે તો તેઓ વિચાર્યા વગર સરહદ ઉપર જવા માટે તૈયાર છે અને દેશ માટે શહીદ થવામાં ગર્વ અનુભવશે. ઉલ્લેખનીય છે ભારતના બહાદુર નીડર એવા આપણા પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્રભાઈ મોદી દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા છે. જેથી ક્યાંકને ક્યાંક પાકિસ્તાનની કમર તૂટી છે.