દાન વીર કરણની ભૂમિ કહેવાતી સુરતની આ પાવન ધરતી પર દાનનો ધોધ સતત વહેતો આવ્યો છે, જેમાં સવથી મોટો કોઈ દાન હોય તો તે કન્યાદાન કહેવાય છે અને જેમાં ધર્મ ગુરુ ફયાઝ બાબા રિફાઈ જે પોતાની બઝમે ગુલીસ્તાને રિફાઈ સંસ્થા થકી ૨૧ માં સમૂહ લગ્ન એટલે કે સમૂહ નિકાહ થકી 20 ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓ માટે બેલી બની સામે આવ્યા હતા
કન્યાદાન એ મહાદાન કહેવાય છે અને દાન વીર કરણની ભૂમિ કહેવાતી સુરતની આ પાવન ધરતી પર દાનનો ધોધ સતત વહેતો આવ્યો છે ત્યારે સુરત સહેર સહિત ગુજરાત બહારના દરેક વ્યક્તિઓ માટે નાત જાતના ભેદભાવ વગર વર્ષોથી સેવા કરતાં ધર્મ ગુરુ ફયાઝ બાબા રિફાઈ જે પોતાની બઝમે ગુલીસ્તાને રિફાઈ સંસ્થા દ્વારા ૨૧ માં સમૂહ લગ્ન એટલે કે સમૂહ નિકાહ કરી ગરીબ અને જરૂરિયાતમંદ દીકરીઓ માટે બેલી બની સામે આવ્યા હતા.
એક તરફ જ્યાં ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે લગ્ન કરવા એટલે ઘણો મોટો ખર્ચ આને આર્થિક સંઘર્ષ કહેવાય છે ત્યારે ધર્મ ગુરુ ફયાઝ બાબા રિફાઈ જે પોતાની બઝમે ગુલીસ્તાને રિફાઈ સંસ્થા દ્વારા 21માં સમૂહ નિહાક થકી 20 જરૂરિયાતમંદ દીકરીઓનું સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સમગ્ર સમાજ સહીત વિશ્વભરમાં ઉદાહરણ સ્વરૂપ જોવામાં આવશે. ત્યારે મહત્વનું છે કે આજના કપરા સમયમાં એક દીકરીના પિતા બોજા હેઠળ દબાયેલ હોય છે, જ્યાં દીકરીની ઉમર લગ્ન લાયક થાય છે ત્યારે એ દીકરાના પિતાને મોંઘવારીના કારણે લગ્નમાં જે કરિયાવર એટલે દહેજ માટે સંકોચ અનુભવતા હોય છે અને ત્યારે સુરત શહેરમાં આવેલી ધર્મ ગુરુ ફયાઝ બાબા રિફાઈની બઝમે ગુલીસ્તાને રિફાઈ સંસ્થા દ્વારા સમૂહલગ્ન થકી આવા અનેક પિતાનો દીકરી પ્રત્યે લગ્નનો ભાર હળવો કરી સમાજને પણ નવી રાહ બતાવી રહ્યા છે.
સુરત શહેરના વરિયાવી બજાર પાલીયા ગ્રાઉન્ડ ખાતે આવેલા ગુલશન પાર્કમાં રવિવાર તારીખ ચોથી મે ના રોજ બઝમે ગુલીસ્તાને રિફાઈ' સંસ્થાના સ્થપાક અને ધર્મ ગુરુ સૈયદ ફયાઝ બાબા રિફાઈની આગેવાની હેઠળ ૨૧મો સમુહ નિકાહ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ૨૦ ગરીબ દીકરીઓના નિકાહ ઇસ્લામી રીતિ રિવાજ મુજબ સંપન્ન થયા હતા. જેમાં બઝમે ગુલીસ્તાને રિફાઈ સંસ્થા તરફથી દિકરીઓને ભેટ સ્વરૂપે ઘર વખરી ની ૬૬ જેટલી ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પુર્વ કોર્પોરેટર નઈમ બાબા રિફાઈ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં ગુજરાતના જુદા જુદા શહેરોના ધર્મગુરુઓ તેમજ અગ્રણીઓ નવયુગલોને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સૈયદ અલીબાબા રિફાઈ અને એમની ટીમ દ્વારા કરવામાં આવતા ત્યાં ઉપસ્થિત દરેકે તેમની કામગીરીને બિરદાવી હતી.