ઈજતેમાઈ નિકાહમાં સાદગી સાથે ૧૬ દીકરીઓએ "કુબૂલ હે" કહી પોતાના જીવનની શરૂઆત કરી

આજના કપરા સમયમાં એક દીકરીના પિતા બોજા હેઠળ દબાયેલ હોય છે જ્યારે દીકરીની ઉમર શાદી લાયક બને ત્યારે દીકરાના પિતા મોંઘવારી અને આર્થિક સંક્રમણના કારણે લગ્નમાં કરિયાવર ( એટલે દહેજ ) માટે સંકોચ અનુભવતા હોય છે , ત્યારે સુરત શહેરમાં કેટલીક સામાજિક સંસ્થાઓ છે જે સમૂહલગ્ન થકી આવા પિતાનો લગ્નનો ભાર હળવો કરી રહી છે. જ્યાં સુરત શહેરના નાનપુરા હબીબશાહ વિસ્તારમાં આયોજિત ચોથા ઈજતેમાઈ નિકાહ એટલે કે સમુલગ્ન આયોજન કરવામાં આવ્યું હતું . અને જેમાં આર્થિક સંક્રમણથી પીડાતા લોકોનું વિશેસ સમાવેશ કરવામાં આવ્યું હતું અને જેમાં ૧૬ જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન પુરા સમાજમાં એકતા અને પ્રેમના પ્રતિક સાથે જોવામાં આવ્યા હતા. જ્યાં મુસ્લિમ ધર્મગુરુ કાસીમ અશરફ અને તલ્હા અશરફ અને પીરે તરીકત ફયાઝબાબા રીફાઇ સહીત અનેક સૈયદ સાદાત ખાસ ઉપસ્તિથ રહી દરેક દીકરીઓના આવનાર ભવિષ્ય માટે દુવાઓ કરી હતી.



એક ઘર પરિવારનું ગુજરાન ચલાવા માટેની દરેક જરૂરિયાતની ચીજ વસ્તુઓની ભેટ સોગાત અશરફી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતા આ ઈજતેમાઈ નિકાહને બિરદાવામાં આવ્યા હતા અને સાથે કુબૂલ હે કહીને પોતાના આવનાર ભવિષ્યને ૧૬ દીકરીઓએ સાદગીથી અપનાવી અસરફી ફાઉન્ડેશનનું આભાર વ્યક્ત કર્યું હતું.



 સામાન્ય રીતે લગ્નમાં વિવિધ ખર્ચઓ અમુક કુરિવાજોને લીધે કરવામાં આવતા હોય છે , જેના પાછળ લાખો રૂપીયા ખર્ચાઈ જવાની આશંકા રહેતી હોય છે. ત્યારે આજના સમયમાં , એકતા અને પરસ્પર પ્રેમના પ્રતિક સમાન ઈજતેમાઈ નિકાહનું વિશેષ આયોજન મોહ્ન્ગ્વારીના સમયમાં કરાતા સમગ્ર દેશવાસીઓમાં માનવતા અને પ્રેમનો સંદેશો પહોચ્યો હતો , ત્યારે અશરફી ફાઉન્ડેશન જેવું આયોજન અન્ય સમાજ પણ અપનાવે તે આજના સમયની માંગ છે.ત્યારે આજના યુગમાં લગ્ન એ ધામ ધૂમથી દિખાવઓ નહિ પણ એક સાદગીનું સંદેશો આ પ્રકારના આયોજનથી પુરવાર થાય છે.