Suicide : વ્યાપારમાં નુકશાન જતા ભર્યું પગલું

Suicide : વ્યાપારમાં નુકશાન જતા ભર્યું પગલું

સુરતમાં આપઘાતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કાપડ માર્કેટના એક વેપારીએ સુસાઈડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો. વેપારીએ સુસાઈડ નોટમાં લખ્યું કે, એજન્ટ દ્વારા જાણ કર્યા વગર જ તેના નામે લોન લઈ લેવામાં આવી હતી. ત્યારબાદ લોનના હપ્તા ન ભરવામાં આવતાં હોવાથી બેંક દ્વારા પ્રેશર કરવામાં આવતું હતું. ફોન કરવામાં આવતાં હતાં. જેથી પોતાની ઈજ્જત ખરાબ ના થયા તે માટે આ પગલુ ભયું હોવાની સામે આવ્યું છે.



સુરતમાં ગોડાદરાના વેપારીએ સુસાઈડ કરી લીધી હતી. રાજેન્દ્ર નામના વેપારીએ સુસાઈડ નોટમાં લખ્યું કે 2018થી વેપારમાં નુકસાન થયું હતું. જેથી આર્થિક સ્થિત કથળી રહી હતી. મને બેંકમાંથી ઉઘરાણી માટે વારંવાર કોલ આવી રહ્યા હતાં. જેથી ઈજ્જત બચાવવા માટે મેં આ પગલું ભર્યું છે. આઈઆઈએફએલમાંથી લોન મેં નહી પરંતુ કલ્પેશ સોનીએ કહ્યા વગર વધુ રેટ સાથે લોન લીધી હતી. કલ્પેશને રૂપિયા આપી દેવા કહ્યું હતું.બાદમા કલ્પેશ મારા ફોન ઉચકવાનું બંધ કરી દીધુ હતું.રાજેન્દ્ર નામના વેપારી દ્રારા કલ્પેશ ઘણી વખત કીધું છતાં કાઈ કરતો નહતો.


 


મેં અગાઉ પણ બેંકમાંથી લોન લીધી હતી. પરંતુ હપ્તો ક્યારેય મીસ કરતો નહીં. પરંતુ વેપારમાં નુકસાન વધુ જવાથી અને હપ્તા ન ભરી શકવાથી હું આ પગલું ભરુ છું. મારા પરિવારના લોકોને પરેશાન કરતાં નહીં.એવું લખીને તેણે પ્રેશરમાં આવીને આપઘાત કર્યો હતો. હાલ પોલીસે સુસાઈડ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.